મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

ભોજન પહેલા શા માટે આ પ્રાણીનો ભાગ

ભોજન પહેલા શા માટે આ પ્રાણીનો ભાગ રાખવામાં આવતો?

 

સનાતન ધર્મ પરંપરાઓ સંસ્કાર, મર્યાદાઓ, ભાવનાઓ અને જીવન મૂલ્યોથી ઓત પ્રોત છે. ગાયને ગ્રાસ એટલે કે ભોજન પહેલા ગાયના હિસ્સાનું તેને ખવડાવવાની એક પરંપરા હતી, તે શા માટે?

- આ ધાર્મિક પરંપરા નથી પણ તેનાથી વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે જીવનથી જોડાયેલ એક મહત્વનું કાર્ય હતું.

- સનાતન ધર્મમાં ગાય પવિત્ર અને પૂજનીય પ્રાણી છે. તેની પાછળ સમુદ્ર મંથનથી કામધેનુ નીકળી કે પછી ગાયમાં કરોડો દેવી-દેવતાઓનો વાસ છે તેવી ધાર્મિક માન્યતાઓ પણ પ્રમુખ છએ। ત્યાં, વ્યાવહારિક રૂપે જોવા જઈએ તો ગાયના દૂધથી લઈને મૂત્ર સુધી શરીરને નિરોગી રાખનાર હોય છે.

- આ રીતે જોવા જઈએ તો પવિત્રતા એ ગાયની સૌથી શ્રેષ્ઠ બાબત છે. ગો ગ્રાસ પણ ગાયની જેમ કર્મ, સ્વભાવ, ચરિત્ર અને આચરણની પવિત્રતાનો મહત્વનો સંદેશ આપે છે. કારણ કે આવું થવાથી જ કોઈ વ્યક્તિના પરિવાર કે સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠા વધારે છે.

- એટલું જ નહીં, ગાય સ્વાભાવથી અહિંસક પ્રાણી છે, જે શીખવાડે છે કે સ્વાભાવથી શ્રેષ્ઠ કઈ રીતે બનાય.

- આ રીતે ગો ગ્રાસ પરંપરાથી ચરિત્ર અને સ્વભાવની પાવનતાને સૂત્ર અપનાવો. જેથી મળેલા યશસ્વી અને સફલ જીવન આપની સાથે પૂર્વજોને પણ માન-સન્માન આપશે. જેટલું ગાયનો દરેક અંગે પવિત્ર અને માન સન્માન મળે છે.

- તે રીતે ગાયને ગૌ ગ્રાસ આપવાથી માન સન્માન પ્રાપ્ત થાય છે.