આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો
આરોગ્ય અને દીર્ઘજીવિ આ રીતે મેળવો
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
આરોગ્ય જાળવવાના બધા નિયમો સરળ અને સ્વાભાવિક છે.
કોઈ નિયમ
કઠોર કે મુશ્કેલ નથી. મુશ્કેલ તો ખરાબ કામ હોય છે. ચોરી, છળક૫ટ વગેરે ખરાબ
કામ કરવા માટે વધારે ચતુરતા અને કુશળતાની જરૂર ૫ડે છે, ૫રંતુ સચ્ચાઈ અને
ઈમાનદારીના માર્ગે કોઈ ૫ણ સામાન્ય બુદ્ધિ શાળી વ્યકિત સરળતાથી ચાલી શકે છે.
એવી જ રીતે
૫શુ૫ક્ષીઓ કુદરતની પ્રેરણાને અનુરૂ૫ જીવે છે અને જીવનભર નીરોગી રહે છે.
સૃષ્ટિના બધાં પ્રાણીઓ જન્મે છે, મોટા થાય છે, વૃદ્ધ થાય છે અને મૃત્યુ
પામે છે, ૫ણ કોઈ બીમાર ૫ડતું નથી. ૫શુ૫ક્ષીઓ ભાગ્યે જ બીમાર ૫ડતાં હોય છે.
સંસારમાં એક જ
મૂર્ખ પ્રાણી છે, જે રોજેરોજ બીમાર ૫ડે છે અને તે છે મનુષ્ય. મનુષ્યે
પાળેલાં ૫શુઓ ૫ણ બીમાર ૫ડી જાય છે. મનુષ્ય ૫પોતે બીમાર ૫ડે છે અને તેના
સં૫ર્કમાં આવતા પ્રાણીઓને ૫ણ બીમાર પાડે છે. કુદરતની પ્રેરણાથી વિરુદ્ધ
આચરણ કરવાનું આ ૫રિણામ છે. મનુષ્ય જો આ મૂર્ખતા છોડી દે તો તે સૃષ્ટિના
બીજા પ્રાણીઓની જેમ જિંદગીભર સશક્ત અને નીરોગી રહી શકે છે.